રાજ્યમાં IPSની બદલી મામલે સૌથી મોટા સમાચાર, આ 3 મહાનગરોના પોલીસ કમિશનરોની બદલી.

રાજ્યના 3 મહાનગરોના પોલીસ કમિશનરોની બદલી થશે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની બદલી થઈ શકે છે.

આઈપીએસ અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશનરનો હવાલો સોંપવામાં આવી શકે છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સુરતનો હવાલો સોંપવામાં આવી શકે છે જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એસીબીના ડિરેક્ટર બનાવાય તેવી સંભાવના છે.

રાજ્યમાં IPSની બદલી મામલે સૌથી મોટા સમાચાર, આ 3 મહાનગરોના પોલીસ કમિશનરોની બદલી.

આ 5 નામો રાજકોટ પોલીસ કમિશનરની રેસમાં

રાજકોટ પોલીસ કમિશનરની રેસમાં 5 નામો ચાલી રહ્યાં છે. જેમાં રાજુ ભાર્ગવ, રાજકુમાર પાંડિયન, નીરજા ગોટરૂ, કે.એલ.એન રાવ, નરસિમ્હા કોમર વગેરેના નામ રેસમાં ચાલી રહ્યાં છે.

જિલ્લા પોલીસ વડા તરીકે વર્ષ 2017 ની બેચના પ્રોબેશનલ આઈપીએસની નિમણૂક થવાની સંભાવના છે. ગાંધીનગર, ગોધરા, દાહોદ અને અમરેલી સહિત 17 જિલ્લાના પોલીસ વડાઓની બદલી થવાની સંભાવના છે. વડોદરા અને સુરત ક્રાઈમ બ્રાંચના ડીસીપીની પણ બદલી થવાની સંભાવના છે. અમદાવાદ ટ્રાફિક ડીસીપીની બદલી થવાની સંભાવના છે.


રાજ્યમાં IPSની બદલી મામલે સૌથી મોટા સમાચાર, આ 3 મહાનગરોના પોલીસ કમિશનરોની બદલી.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!