અમદાવાદ: સરદારનગર આવેલા ઝુલેલાલ મંદિરની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થશે, આજથી મહોત્સવ…

શહેરના સરદારનગર ખાતે આવેલા 65 વર્ષ જુના સિંધી સમાજના ઝુલેલાલ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મંદિર આશરે 2 કરોડના ખર્ચે 2 વર્ષમાં તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરના અગ્રણીના જણાવ્યા અનુસાર મંદિરને તૈયાર કરવામાં શહેરના સિંધી સમાજના લોકોએ અલગ અલગ રીતે મદદ કરી છે, જેમાં કેટલા દાતાઓ ઈંટો આપી તો કેટલા દાતાઓએ પથ્થરની મદદ કરી છે.
“સિંધી સમાજના 65 વર્ષ જૂના મંદિરના નવનિર્માણમાં 2 કરોડનો ખર્ચ કરાયો’
પહેલાં સરદારનગર નું જૂનું મંદિર એક જ માળનું હતું, જેમાં વાહનો માટે પાર્કિંગ ન હતું. હવે નવું બનનારું મંદિર ત્રણ માળનું છે. વાહન પાર્કિંગ સહિત ભંડારા માટે વિશેષ જગ્યા ફાળવવામાં આવી છે.

નવા ભગવાન શ્રી ઝુલેલાલ મંદિરમાં 60 વર્ષ પહેલાં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી જ્યોત મગાવાઈ હતી, આ જ્યોતની નવા મંદિરમાં વિશેષ જગ્યાએ રાખવામાં આવી છે.

તેની સાથે જ સાથે હિંગળાજ માતાજીની મૂર્તિની જ્યોત પણ મગાવા માં આવી હતી. 3 દિવસીય મહોત્વસ ના અંતિમ દિવસે સરદાર નગરના ઝૂલેલાલ મંદિરમાં ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
“Gujarat Geeta Digital youtube videos.’