અમદાવાદ – સરદારનગર વિસ્તારમાં આવેલી ધી એવરગ્રીન હાઇસ્કુલના પ્રિન્સિપાલ વિરુદ્ધ રૂ. 70 હજારની લાંચની માગ..

રાકેશ કુમાર યાદવ દ્વારા..
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી ધી એવરગ્રીન હાઇસ્કુલના પ્રિન્સિપાલ વિરુદ્ધ રૂ. 70 હજારની લાંચની માગ અંગેનો ગુનો એસીબી દ્વારા નોંધવામાં આવ્યો છે. સ્કૂલના કર્મચારી નિવૃત્ત થતા હતા ત્યારે તેમના પગાર ગ્રેજ્યુએટી અને પેન્શન વગેરે અંગેના કાગળો તૈયાર કરવા માટે લાંચ માગવામાં આવી હતી. એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જોકે નિષ્ફળ જતા આ મામલે હવે લાંચ માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ACB ના ફરિયાદ મળી હતી કે, સરદારનગર વિસ્તારમાં આવેલા ધી એવરગ્રીન સ્કૂલના કર્મચારી અને તેઓ વય નિવૃત્ત થતા હોવાથી સ્કૂલના પ્રિન્સિપાલ અશોક મોહનલાલ દુલ્હનાણી એ તેમની પાસે વય નિવૃતી પેન્શન, ગ્રેજ્યુઇટી, રજા રોકડ, જી.પી.એફ વિગેરે નાં કાગળો બનાવી આપવા માટે જે-તે સમયે રૂ.70 હજારની લાંચની માંગણી કરી હતી, પરંતુ રૂ. 20000ની વ્યવસ્થા હોવાનું તેમને જણાવાયુ હતું. બાકીના રૂ.50 હજાર પછીથી આપવા કહ્યું હતું, પરંતુ અશોક દુલ્હનાણીને લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ACB નો સંપર્ક કર્યો હતો .

વર્ષ 2023માં લાંચની ફરિયાદ ACB ને આપી હતી. જેના માટે એસીબીએ લાંચના છટકા નું આયોજન કર્યું હતું. જે લાંચ નું છટકું અનિવાર્ય સંજોગોના કારણે નિષ્ફળ થયું હતું. નિષ્ફળ રહ્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. દસ્તાવેજી પુરાવા, વૈજ્ઞાનીક પુરાવા, સંયોગીક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાને લઈને આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
“Gujarat Geeta Digital youtube “
અમદાવાદ ઊતર ઝોન કુબેરનગરવોડ ગેરકાયદેસર બાંધકામ .??