અમદાવાદ શહેર ના નરોડા વિધાનસભા મા આવેલો કુબેરનગરના જી-વોર્ડમાં પૂર્વ ધારાસભ્ય રામચંદ ટહેલરામના નામની ચોક આવેલો છે. આ ચોકનું નામ બદલી કમળ ચોક અથવા મછલી ચોક રાખવા ભાજપના કેટલાક કોર્પોરેટરોએ પેરવી કરી છે.
આથી સિંધી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા વિરોધ પક્ષને નામ ન બદલવા પત્ર લખ્યો છે.
કુબેરનગરના જી-વોર્ડ વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય રામચંદ ટહેલરામ ના નામે 2003માં ચોકનું નામકરણ કરવામાં આવ્યું હતું.
પણ કેવી રીતે આ નામ બદલ્યું તે મોટો પ્રશ્ન હવે એ સ્થાનિક બીજેપી ના જ નેતા તેમજ લોકો ઊઠાવી રહ્યાં છે.
કારણ કે નરોડા વિધાનસભાના એમએલએ તેમ જ સરદારનગર કોર્પોરેટર દ્વારા ભુતકાળ મા તેમાંજ લેટર પેડ આપવામાં આવ્યો હતો .તેમાં જી વોર્ડ સર્કલ નામકરણ નું નાવો નામ નુ કોઇ ઉલ્લેખ ના હતો..
મત્રા જૂના નામ રામચંદ ટહેલરામ નો ઊલ્લેખ હતું. તો આ નવું નામકરણ કેવી રીતે થયું અને આમાં કોણે ષડયંત્ર કર્યું .તે મોટો પ્રશ્ન હવે લોક ચર્ચાનો વિષય બન્યું છે.