અમદાવાદ -: હવેથી દર રવિવારે ગુનેગારોને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની હવેલીમાં બોલાવાશે.

અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો ડર રહે તેના માટે સંખ્યાબંધ ગુનેગારોને પાસા તડીપાર કરીને અમદાવાદ બહાર રવાના કરી દેવામાં આવ્યા છે. હવેથી દર રવિવારે રીઢા ગુનેગારોને અમદાવાદ ક્રાઇબ્રાંચની હવેલીમાં બોલાવી અધિકારીઓ તેમની પૂછપરછ કરશે જેથી તેમની પ્રવૃત્તિની માહિતી મળી રહે. આ ઉપરાંત તમામ ડીસીપી અને જેસીપી પણ ફુટ પેટ્રોલીંગ કરતા થઇ ગયા છે. જેને લઇને ગુનેગારોમાં પોલીસની ધાક બેસી ગઇ છે. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે ક્રાઇમબ્રાંચની હવેલીમાં 353 ગુનાગારોને બોલાવીને તેમની પૂછપરછ કરી હતી સાથે સાથે એ વાત સમજાવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તમામ ગુનેગારોની પ્રવૃત્તીથી ક્રાઇમબ્રાચના અધિકારીઓને પણ અવગત કરાયા હતા.

રામોલમાં કેટલાક માથાભારે તત્વોએ પોલીસનું નાક કાપી નાંખ્યુ. આ ઘટના બાદ પોલીસ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી ગઇ છે. તમામ પોલીસ મથકોમાં માથાભારે તત્વોની યાદીઓ તૈયારી કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાચે શહેરના 1481 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. જેમા 303 બુટલેગર છે. જુગારના અડ્ડાઓ ચલાવનારા 21 , શરીર સંબંધી ગુનાના 687, મિલકત સંબંધી ગુનાના 424 અને એ.ડી.પીએસ ના 46 આરોપીઓનો સમાવેશ થાય છે. જે તમામ પર પોલીસ વોચ રાખી રહી છે.
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે રવિવારે 353 ગુનેગારોને ક્રાઇમબ્રાંચની હવેલીમાં બોલાવવામાં આવ્યા હતા.જેમાં વાહનચોરીના 139, ચાઇન સ્નચીંગના 60, મોબાઇલ સ્નેચીંગના 70, લુંટ ઘરફોડ ચોરીના 4 અને અન્ય ચોરી તથા ગુનાખોરીના 72 તથા શરીરસંબંધી ગુનાના 4નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને ખુદ કમીશનરે સમાવ્યું હતું કે હવે કોઇ ગુનાખોરીમાં નામ આવશે તો કાયદાનું ભાન કરાવવામાં આવશે.
ક્રાઇમ બ્રાંચ ની પ્રણાલી હતી કે ગુનેગારોને રવિવારે હવેલી પર બોલાવીને તેમની પુછપરછ કરવાની, જે પ્રણાલી છેલ્લા દસકાથી બંધ થઇ ગઇ હતી જેને ફરીથી શરૂ કરવામાં આવી છે. કમિશનર સમક્ષ પોલીસ ફરિયાદ નહિ નોંધતી હોવાની પણ રજૂઆત થઇ હતી. જોકે કમિશનરે પ્રજાની હાલક કરી છે કે કોઇ પણ પોલીસ મથકમાં પોતાની સાચી ફરીયાદ નોંધાય નહિ તો સીધા કમિશનરને મળી શકે છે તેમને ચોક્કસ ન્યાય મળશે. જોકે કમિશનરની આ હાલક વખતે ક્રાઇબ્રાંચના કેટલાક અધિકારીઓના ચહેરા પર અણગમો પણ જોવા મળતો હતો. જેને પગલે હવે આ અભિયાન કારગત નિવડે છે કે કેમ તે જોવાનું રહ્યું?..